યોજનાનુ નામ - મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
કોણ પરીક્ષા આપી શકે -
1) સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) આપી શકશે.
2) સ્વનિર્ભર ખાનગી શાળાઓના ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ 25% બેઠકોની મર્યાદામાં ધોરણ 6 ના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) આપી શકશે. આ કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) ના મેરીટ ના આધારે રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે.
પરીક્ષા ફી- કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) માટે કોઇ પરીક્ષા ફી ભરવાની નથી.
કસોટીનું માળખું-
1) આ પરીક્ષા હેતુલક્ષી પ્રકારની છે.
2)પેપર 120 ગુણ અને સમય 150 મીનીટ છે.
3) પરીક્ષા નુ પેપર ગુજરાતી અને અગ્રેજી બંને માધ્યમમાં હશે. એટલે ફોર્મ ભરતી વખતે ખુબજ કાળજી રાખવી.
અભ્યાસક્રમ-
1) ધોરણ 5 નો હશે.તેમા ગણિત,ગુજરાતી,અગ્રેજી,હિંદી,અને પર્યાવરણ વિષય તથા તાર્કિક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારીત પ્રશ્નો હશે.
2) કોમન એન્ટ્રસ ટેસ્ટ ( CET) વિષય તેમજ ગુણભાર નીચે મુજબ હશે.
તાર્કિક ક્ષમતા કસોટી - 30 પ્રશ્નો - 30 ગુણ
ગણિત સજ્જતા- 30 પ્રશ્નો - 30 ગુણ
પર્યાવરણ- 20 પ્રશ્નો - 20 ગુણ
ગુજરાતી- 20 પ્રશ્નો - 20 ગુણ
અગ્રેજી-હિંદી- 20 પ્રશ્નો - 20 ગુણ
-------------- ----------
120 પ્રશ્નો 120 ગુણ
3) પેપર 120 ગુણ અને સમય 150 મીનીટ છે.
પરીક્ષા કોણ લે - રાજ્ય પરીક્ષા બોર્ડ
ફોર્મ ક્યા ભરવાનુ (WEBSITE) - અહી ક્લીક કરો
ફોર્મ ભરવાની તારીખ- હવે તારીખ આવશે.
પરીક્ષા પાસ કરી મેરીટમાં આવોતો કઇ સ્કુલમા ભણવા જવા મળે-
1)જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ
2)જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ
3)રક્ષા શક્તિ સ્કૂલ
4) ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત (એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ અને સૈનિક શાળા)
નોધ-સ્વનિર્ભર ખાનગી શાળાઓના ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ 25% બેઠકોની મર્યાદામાં ધોરણ 6 માં પ્રવેશ માળશે.